ધુળેટીએ ગોમતી નદીમાં ફસાયા 40 લોકો : ફાયર વિભાગે જીવના જોખમે બચાવ્યા ...
- 28 Mar, 2024
દેશમાં તહેવાર ટાણે દેવ-દર્શન કરવાની પરંપરા છે. એમાંય ગુજરાતીઓતો ખાસ મંદિરે જતાં જોવા મળે છે, ધૂળેટીના દિવસે પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દરવર્ષે અસંખ્ય ભાવિકો ભગવાન શ્રીકૃષ્ણના દર્શને જતાં હોય છે, આ વર્ષે પણ ભાવિકો દર્શન કરી ને ગોમતી નદી કાંઠે થી સામે આવેલા પંચકુઇ વિસ્તારે ગયા હતા અને એવામાં નદીમાં પાણી વધી જતા સામે કાંઠે ગયેલા લોકો ફસાયા હતા. જેની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવીને રેસ્કયુ કરાયું હતુ.
દરિયામા ભરતી આવતા ગોમતી નદીમાં જીવ ના જોખમે લોકો સામે કાંઠે પસાર થતા જોવા મળે છે. ગોમતીની સામે પાંચકુઈ વિસ્તારનાં કાઠે ફરવા ગયેલા 40થી વધુ લોકો ફસાયા હતા. તમામ લોકોને દ્વારકા ફાયરની ટીમે સલામત બહાર કાઢ્યા હતા. અવાર –નવાર આ રીતે ગોમતી નદીમાં લોકો જોખમી રીતે પસાર થતા હોઈ છે ત્યારે કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉદભવે છે. ગોમતી અને પંચકૂઇ બીચ વચ્ચેનો સુદામા સેતુ લાંબા સમય થી બંધ હોવાથી લોકો પરત ફરી સકતા નથી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ